Friday 28 September 2018

ગજેરા વિદ્યાભવન- ઉત્રાણમાં “ગુજલિશ” સેમિનાર યોજાયો



ગજેરા વિદ્યાભવનમાં આજે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ગુજલિશ” સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહથી ગુજરાતી- અંગ્રેજીના નિયમો શીખ્યા હતાં.














Thursday 20 September 2018

મહારાણા પ્રતાપ પ્રા.શાળામાં “ભાષા સજ્જતા” સેમિનાર યોજાયો



       “શબ્દની સાચી જોડણી શીખવાથી સમજણશક્તિ, તર્કશક્તિ અને વિચારશક્તિનો પણ વિકાસ થાય છે.”- રાજેશ ધામેલિયા

        વિદ્યાર્થીઓને પ્રાથમિક શાળામાંથી જ સાચી જોડણીનું મહત્ત્વ દર્શાવવામાં આવે અને તેની સરળ સમજૂતી આપવામાં આવે તો વિદ્યાર્થીઓ સહેલાઈથી સાચી જોડણી શીખી શકે છે. આ વાતને કેંદ્રમાં રાખીને ન.પ્રા.શિ.સ. સુરત સંચાલિત મહારાણા પ્રતાપ પ્રા. શાળા(શા.ક્ર.272)માં આજે “ભાષા સજ્જતા” સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
      સેમિનારમાં માર્ગદર્શન આપતાં શ્રી રાજેશ ધામેલિયાએ જણાવ્યું હતું કે, “ સાચી જોડણી ગોખવાની નહીં, પરંતુ સમજવાની જરૂર છે. શબ્દની સાચી જોડણી શીખવાથી સમજણશક્તિ, તર્કશક્તિ અને વિચારશક્તિનો પણ વિકાસ થાય છે. ગુજરાતીની જોડણીના નિયમો જેવા જ કેટલાક નિયમો અંગ્રેજીમાં પણ છે. ગુજરાતી ભાષા સારી રીતે શીખશો તો અંગ્રેજી શીખવામાં ખૂબ સરળતા રહેશે.“ 
     “ ઉપયોગી-ઉપયોગિતા, વિદ્યાર્થી- વિદ્યાર્થિની” જેવા શબ્દો લખાવીને સમાન જણાતા શબ્દોની જોડણીમાં તફાવત કેમ છે? તેની ઉચ્ચારણ સાથે સરળ સમજૂતી આપી હતી. અંગ્રેજીમાં પણ “baby-babies, city-cities” થાય છે. ઉચ્ચારણને કારણે અંત્ય દીર્ઘ “ઈ” નો હ્રસ્વ “ઇ” થાય છે. તેમ સમજાવ્યું.  “ નાગરિક,ચંદ્રિકા,આયોજિત, સંવાદિતા” જેવા શબ્દો લખાવીને “ઇક-ઇકા-ઇત-ઇતા”પ્રત્યયમાં “ઇ” હ્રસ્વ હોય છે; તેને સરળ સમજ આપી. “ કીર્તન,તીર્થ,મૂર્તિ,સૂર્ય,” વગેરે શબ્દો લખાવીને રેફ પૂર્વેનાં “ઈ-ઊ” દીર્ઘ હોય છે તે અંગે ચર્ચા કરી. વારંવાર વપરાતા શબ્દોની જોડણી અંગે વિદ્યાર્થીઓને  થોડી જાણકારી આપવામાં અવે તો તેઓ ખૂબ સહેલાઈથી સેંકડો શબ્દોની સાચી જોડણી શીખી શકે.શાળાના શિક્ષક શ્રી ઘનશ્યામભાઈ પાંચાણીએ તેમની વિદાય પ્રસંગે શાળાના ધો.5 થી 8 ના તમામ વિદ્યાર્થીઓને સ્મૃતિભેટરૂપે “ સાચી જોડણી લાગે વહાલી” પુસ્તિકા આપી છે.તેનો વિદ્યાર્થીઓ ભરપૂર ઉપયોગ કરે તેમજ માતૃભાષાને સાચી રીતે પ્રયોજીને માતૃભાષાનું ગૌરવ વધારી શકે. આવા શુભ આશય સાથે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
     શાળાના આચાર્ય શ્રી મિતેશભાઈએ આ માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને સૌ શિક્ષક ભાઈઓ-બહેનોએ સાથ સહકાર આપ્યો હતો. આ સેમિનારમાં ધોરણ 5 , 6, 7ના વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા.










Thursday 13 September 2018

"શિક્ષણ સજ્જતા સેમિનાર"

    ગણેશચતુર્થીના પાવન અવસરે ગુરુકૃપા વિદ્યાલયના દશાબ્દી પર્વ અંતર્ગત "શિક્ષણ સજ્જતા સેમિનાર"નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 9 થી 12(ગુજરાતી-અંગ્રેજી માધ્યમ)ના વિદ્યાર્થીઓ અને વાલીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
            આ સેમિનારમાં રાજેશ ધામેલિયાએ શિક્ષણના ચાર પાયા : વિદ્યાર્થી, વાલી, શિક્ષક અને શાળા સંચાલક વિશે અને પારસ્પરિક સંબંધો વિશે વાત કરી.
         માતાપિતા અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન મળે તો વિદ્યાર્થીઓ અદ્ભુત  સફળતા પ્રાપ્ત કરી શકે છે.
         વિદ્યાર્થીઓ નિયમિત રીતે ઉત્સાહથી મહેનત કરીને સારી ટકાવારી લાવે તો  માતાપિતાને પણ આર્થિક રીતે  ખૂબ મદદરૂપ થઈ શકે છે.

ભવદીય,
રાજેશ ધામેલિયા
મો.9825492499

















Tuesday 11 September 2018

મહારાણા પ્રતાપ પ્રા.શાળામાં  વિનોબાભાવેની જયંતીની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી.
     ન.પ્રા.શિ.સ.સુરત સંચાલિત મહારાણા પ્રતાપ પ્રા.શાળા (શા.ક્ર.272)માં વિનોબાભાવેની જયંતીની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી.
       વિનોબા ભાવે વિશે વક્તવ્ય આપતાં  રાજેશ ધામેલિયાએ જણાવ્યું હતું કે, “ ભૂદાન પ્રવૃત્તિ દ્વારા સમગ્ર વિશ્વમાં જાણીતા થયેલા વિનોબા ભાવે મોટા અપરિગૃહી વ્યક્તિ હતા.આપવાની ભાવનાનો ગુણ તેમને  તેમની માતા રુક્મિણીબાઈ  પાસેથી શીખવા મળ્યો હતો.  તેઓ શ્રીમદ ભગવદ ગીતાના ઊંડા અભ્યાસુ હતા. તેમણે વિશ્વના તમામ ધર્મોનો અભ્યાસ કર્યો હતો. તેના સારરૂપે “વિશ્વધર્મ સાર” નામે પુસ્તિકા લખી હતી. તેમણે સર્વ ધર્મ પ્રાર્થના પણ લખી છે.  ગાંધી બાપુએ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે માત્ર એક વ્યક્તિની પસંદગી કરવાની હતી ત્યારે વિનોબા ભાવેની પસંદગી કરી હતી. રોમન મેગસેસે એવોર્ડ મેળવનાર તેઓ પ્રથમ ભારતીય હતા. તેઓને “ભારત રત્ન”થી પણ  નવાજવામાં આવ્યા હતા. તેમના જીવનમાંથી આપણને સૌને હંમેશાં પ્રેરણા મળતી રહેશે.” વિનોબા ભાવે વિશે વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી  પણ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર જવાબો આપ્યા હતા.
    શ્રીમતી રેખાબહેન વસોયાએ સર્વધર્મ પ્રાર્થાનાનું ગાન કરાવ્યું હતું.
         સ્વામી વિવેકાનંદે અમેરિકાના શિકાગો શહેરમાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં આપેલ વક્તવ્યને આજે 125 વર્ષ થતાં તેની ઉજવણી પણ કરવામાં આવી. શ્રી રાજેશ્રીબહેને સ્વામી વિવેકાનંદને અમેરિકામાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં પહોંચતાં સુધીમાં પડેલી મુશ્કેલીઓ અંગે વાત કરી હતી. શ્રી રાજેશ ધામેલિયાએ સ્વામી વિવેકાનંદના પ્રવચનનું વાચન કર્યું હતું. અને શાળાના આચાર્ય શ્રી મિતેશભાઈએ જણાવ્યું હતું કે, “સ્વામી વિવેકાનંદ પરદેશની ધરતી પર ભારતીય સંસ્કૃતિનો ધ્વજ લહેરાવીને ભારત પધાર્યા ત્યારે તેમનું સ્વાગત કરવા હજારો લોકો ઉમટી પડ્યા હતાં. ત્યારે સ્વામીજી ભારતભૂમિ પર  પગ મૂકીને સૌ પ્રથમ ભૂમિમાં આળોટવા લાગ્યા. આમ, તેમની ભારતભૂમિ ખૂબ વહાલી હતી.”











મહારાણા પ્રતાપ પ્રા.શાળામાં વિનોબાભાવેની જયંતીની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી

 મહારાણા પ્રતાપ પ્રા.શાળામાં  વિનોબાભાવેની જયંતીની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી.
     ન.પ્રા.શિ.સ.સુરત સંચાલિત મહારાણા પ્રતાપ પ્રા.શાળા (શા.ક્ર.272)માં વિનોબાભાવેની જયંતીની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી.
       વિનોબા ભાવે વિશે વક્તવ્ય આપતાં  રાજેશ ધામેલિયાએ જણાવ્યું હતું કે, “ ભૂદાન પ્રવૃત્તિ દ્વારા સમગ્ર વિશ્વમાં જાણીતા થયેલા વિનોબા ભાવે મોટા અપરિગૃહી વ્યક્તિ હતા.આપવાની ભાવનાનો ગુણ તેમને  તેમની માતા રુક્મિણીબાઈ  પાસેથી શીખવા મળ્યો હતો.  તેઓ શ્રીમદ ભગવદ ગીતાના ઊંડા અભ્યાસુ હતા. તેમણે વિશ્વના તમામ ધર્મોનો અભ્યાસ કર્યો હતો. તેના સારરૂપે “વિશ્વધર્મ સાર” નામે પુસ્તિકા લખી હતી. તેમણે સર્વ ધર્મ પ્રાર્થના પણ લખી છે.  ગાંધી બાપુએ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે માત્ર એક વ્યક્તિની પસંદગી કરવાની હતી ત્યારે વિનોબા ભાવેની પસંદગી કરી હતી. રોમન મેગસેસે એવોર્ડ મેળવનાર તેઓ પ્રથમ ભારતીય હતા. તેઓને “ભારત રત્ન”થી પણ  નવાજવામાં આવ્યા હતા. તેમના જીવનમાંથી આપણને સૌને હંમેશાં પ્રેરણા મળતી રહેશે.” વિનોબા ભાવે વિશે વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી  પણ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર જવાબો આપ્યા હતા.
    શ્રીમતી રેખાબહેન વસોયાએ સર્વધર્મ પ્રાર્થાનાનું ગાન કરાવ્યું હતું.
         સ્વામી વિવેકાનંદે અમેરિકાના શિકાગો શહેરમાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં આપેલ વક્તવ્યને આજે 125 વર્ષ થતાં તેની ઉજવણી પણ કરવામાં આવી. શ્રી રાજેશ્રીબહેને સ્વામી વિવેકાનંદને અમેરિકામાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં પહોંચતાં સુધીમાં પડેલી મુશ્કેલીઓ અંગે વાત કરી હતી. શ્રી રાજેશ ધામેલિયાએ સ્વામી વિવેકાનંદના પ્રવચનનું વાચન કર્યું હતું. અને શાળાના આચાર્ય શ્રી મિતેશભાઈએ જણાવ્યું હતું કે, “સ્વામી વિવેકાનંદ પરદેશની ધરતી પર ભારતીય સંસ્કૃતિનો ધ્વજ લહેરાવીને ભારત પધાર્યા ત્યારે તેમનું સ્વાગત કરવા હજારો લોકો ઉમટી પડ્યા
હતાં. ત્યારે સ્વામીજી ભારતભૂમિ પર  પગ મૂકીને સૌ પ્રથમ ભૂમિમાં આળોટવા લાગ્યા. આમ, તેમની ભારતભૂમિ ખૂબ વહાલી હતી.”
     ન.પ્રા.શિ.સ.સુરત સંચાલિત મહારાણા પ્રતાપ પ્રા.શાળા (શા.ક્ર.272)માં વિનોબાભાવેની જયંતીની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી.
       વિનોબા ભાવે વિશે વક્તવ્ય આપતાં  રાજેશ ધામેલિયાએ જણાવ્યું હતું કે, “ ભૂદાન પ્રવૃત્તિ દ્વારા સમગ્ર વિશ્વમાં જાણીતા થયેલા વિનોબા ભાવે મોટા અપરિગૃહી વ્યક્તિ હતા.આપવાની ભાવનાનો ગુણ તેમને  તેમની માતા રુક્મિણીબાઈ  પાસેથી શીખવા મળ્યો હતો.  તેઓ શ્રીમદ ભગવદ ગીતાના ઊંડા અભ્યાસુ હતા. તેમણે વિશ્વના તમામ ધર્મોનો અભ્યાસ કર્યો હતો. તેના સારરૂપે “વિશ્વધર્મ સાર” નામે પુસ્તિકા લખી હતી. તેમણે સર્વ ધર્મ પ્રાર્થના પણ લખી છે.  ગાંધી બાપુએ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે માત્ર એક વ્યક્તિની પસંદગી કરવાની હતી ત્યારે વિનોબા ભાવેની પસંદગી કરી હતી. રોમન મેગસેસે એવોર્ડ મેળવનાર તેઓ પ્રથમ ભારતીય હતા. તેઓને “ભારત રત્ન”થી પણ  નવાજવામાં આવ્યા હતા. તેમના જીવનમાંથી આપણને સૌને હંમેશાં પ્રેરણા મળતી રહેશે.”
    શ્રીમતી રેખાબહેન વસોયાએ સર્વધર્મ પ્રાર્થનાનું ગાન કરાવ્યું હતું.
         સ્વામી વિવેકાનંદે અમેરિકાના શિકાગો શહેરમાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં આપેલ વક્તવ્યને આજે 125 વર્ષ થતાં તેની ઉજવણી પણ કરવામાં આવી. શ્રી રાજેશ્રીબહેને સ્વામી વિવેકાનંદને અમેરિકામાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં પહોંચતાં સુધીમાં પડેલી મુશ્કેલીઓ અંગે વાત કરી હતી. શ્રી રાજેશ ધામેલિયાએ સ્વામી વિવેકાનંદના પ્રવચનનું વાચન કર્યું હતું. અને શાળાના આચાર્ય શ્રી મિતેશભાઈએ જણાવ્યું હતું કે, “સ્વામી વિવેકાનંદ પરદેશની ધરતી પર ભારતીય સંસ્કૃતિનો ધ્વજ લહેરાવીને ભારત પધાર્યા ત્યારે તેમનું સ્વાગત કરવા હજારો લોકો ઉમટી પડ્યા હતાં. ત્યારે સ્વામીજી ભારતભૂમિ પર  પગ મૂકીને સૌ પ્રથમ ભૂમિમાં આળોટવા લાગ્યા. આમ, તેમની ભારતભૂમિ ખૂબ વહાલી હતી.”