ઈશ્વર પેટલીકર કન્યા
શાળા(શા.ક્ર.16)માં “ભાષા સજ્જતા”
સેમિનાર યોજાયો
“પ્રાથમિક શાળાથી જ સાચી જોડણી શીખવવામાં આવે તો તે જીવનભર ઉપયોગી પુરવાર થાય.”- રાજેશ ધામેલિયા
ન.પ્રા.શિ.સ.સુરત સંચાલિત ઈશ્વર પેટલીકર કન્યા શાળા(શા.ક્ર.16),નાના વરાછામાં “ભાષા
સજ્જતા” સેમિનારનું આજે આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રી માર્ગદર્શક શ્રી રાજેશભાઈ ધામેલિયાએ જણાવ્યું
હતું કે, “માતૃભાષાને સાચી રીતે પ્રયોજવી
એ આનંદ અને ગૌરવની બાબત છે. પ્રાથમિક શાળાથી જ વિદ્યાર્થીઓને જોડણીની સમજ આપવામાં આવી હોય તો તે ખૂબ સહેલાઈથી
સાચી જોડણી શીખી શકે છે અને જીવનભર ખૂબ ઉપયોગી પુરવાર થાય છે.”
આ સેમિનારમાં
ગુજરાતી ભાષામાં વારંવાર વપરાતા શબ્દોની શુદ્ધ – અશુદ્ધ જોડણી અંગે સમજ આપવામાં આવી
હતી. જોડણીના કેટલાક નિયમો ખૂબ સહેલા છે, તેની સમજ કેળવવાથી હજારો શબ્દોની સાચી જોડણી લખી શકીએ છીએ.
આ અંગે વિદ્યાર્થિનીઓને વિવિધ ઉદાહરણો દ્વારા સમજાવવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં
ધોરણ 5 થી 8ની પાંચસો વિદ્યાર્થિનીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો. શાળાના
આચાર્યા શ્રીમતી વૈશાલીબહેન સુતરિયાએ અભિનંદન પાઠવ્યા હતા. શાળાના
તમામ શિક્ષક ભાઈઓ-બહેનો સહભાગી થયાં હતાં. શાળાના શિક્ષિકા શ્રીમતી હંસાબહેને કાર્યક્રમ
બદલ શ્રી રાજેશભાઈ ધામેલિયાનો આભાર વ્યક્ત કર્યો હતો.