Friday 30 November 2018

ઈશ્વર પેટલીકર કન્યા શાળા(શા.ક્ર.16)માં “ભાષા સજ્જતા” સેમિનાર યોજાયો

 ઈશ્વર પેટલીકર કન્યા શાળા(શા.ક્ર.16)માં “ભાષા સજ્જતા” સેમિનાર યોજાયો
“પ્રાથમિક શાળાથી જ સાચી જોડણી શીખવવામાં આવે  તો તે જીવનભર ઉપયોગી પુરવાર થાય.”- રાજેશ ધામેલિયા

ન.પ્રા.શિ.સ.સુરત સંચાલિત ઈશ્વર પેટલીકર કન્યા શાળા(શા.ક્ર.16),નાના વરાછામાં  “ભાષા સજ્જતા” સેમિનારનું આજે આયોજન કરવામાં આવ્યું હતું.
 આ પ્રસંગે  શ્રી માર્ગદર્શક શ્રી રાજેશભાઈ ધામેલિયાએ જણાવ્યું હતું કે, “માતૃભાષાને સાચી રીતે પ્રયોજવી એ આનંદ અને ગૌરવની બાબત છે. પ્રાથમિક શાળાથી જ વિદ્યાર્થીઓને  જોડણીની સમજ આપવામાં આવી હોય તો તે ખૂબ સહેલાઈથી સાચી જોડણી શીખી શકે છે અને જીવનભર ખૂબ ઉપયોગી પુરવાર થાય છે.”
       આ સેમિનારમાં ગુજરાતી ભાષામાં વારંવાર વપરાતા શબ્દોની શુદ્ધ – અશુદ્ધ જોડણી અંગે સમજ આપવામાં આવી હતી. જોડણીના કેટલાક નિયમો ખૂબ સહેલા છે, તેની સમજ કેળવવાથી હજારો શબ્દોની સાચી જોડણી લખી શકીએ છીએ. આ અંગે  વિદ્યાર્થિનીઓને  વિવિધ ઉદાહરણો દ્વારા સમજાવવામાં આવ્યું હતું.  
      આ કાર્યક્રમમાં ધોરણ 5 થી 8ની પાંચસો વિદ્યાર્થિનીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો.  શાળાના
આચાર્યા શ્રીમતી વૈશાલીબહેન સુતરિયાએ અભિનંદન પાઠવ્યા હતા. શાળાના તમામ શિક્ષક ભાઈઓ-બહેનો સહભાગી થયાં હતાં. શાળાના શિક્ષિકા શ્રીમતી હંસાબહેને કાર્યક્રમ બદલ શ્રી રાજેશભાઈ ધામેલિયાનો આભાર વ્યક્ત કર્યો હતો. 








No comments:

Post a Comment