Monday, 17 December 2018

મહારાણા પ્રતાપ પ્રા.શાળામાં સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી


“ અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલ ત્યાગમૂર્તિ  હતા. તેમની વિરાટ પ્રતિમા સાથે તેમની વિરાટ પ્રતિભાથી અને અજોડ કાર્યોથી પણ પરિચિત થવું જોઈએ” – રાજેશ ધામેલિયા
ન.પ્રા.શિ.સ. સુરત સંચાલિત મહારાણા પ્રતાપ પ્રા.શાળામાં આજે સરદાર વલ્લભભાઈ પટેલને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.
     ભારતના ભાગ્ય વિધાતા સરદાર વલ્લભભાઈ પટેલના જીવન પ્રસંગો વિદ્યાર્થીઓએ રજૂ કર્યા હતા. શાળાના શિક્ષક શ્રી રાજેશભાઈ ધામેલિયાએ સરદાર વલ્લભભાઈ પટેલ વિશે પ્રશ્નોત્તરી કરી હતી અને  માહિતી આપતા જણાવ્યું હતું કે, “ સરદાર સાહેબે  ધીકતી વકીલાત છોડીને દેશ સેવામાં ઝંપલાવ્યું હતું. રાષ્ટ્રની આઝાદી માટે અનેક કષ્ટો વેઠ્યા હતા. સંન્યાસીઓ કરતાં પણ તેમનો ત્યાગ મહાન હતો. સાચા અર્થમાં તેઓ ત્યાગ મૂર્તિ હતા. આજે વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા  સરદાર વલ્લભભાઈ પટેલની છે, લોકો તેમના દર્શન કરે છે. તેમની વિરાટ પ્રતિમા સાથે તેમના અજોડ કાર્યોથી અને  વિરાટ પ્રતિભાથી પણ પરિચિત થવાની જરૂર છે. અનેક સત્યાગ્રહોના સફળ નેતૃત્વ પછી પણ તેઓ નાનામાં નાના કાર્યકર્તાઓને ખૂબ પ્રેમ,સ્નેહ અને સંમાનથી બોલાવતા. આપણે જ્ઞાતિવાદ,પ્રાંતવાદ,ભાષાવાદ વગેરે વાદ અને ભેદભાવ ભૂલીને રાષ્ટ્રની એકતા વધારીને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવી જોઈએ.
     સરદાર વલ્લભભાઈ પટેલને શબ્દપુષ્પથી  શ્રદ્ધાંજલિ અર્પણ કરનાર વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય શ્રી મિતેશભાઈએ અભિનંદન પાઠવ્યા હતા.







No comments:

Post a Comment