“પરીક્ષાની પૂર્વતૈયારી પૂરી પ્રામાણિકતાથી અને
આયોજનપૂર્વક કરવામાં આવે તો પરીક્ષા પરેશાની નહીં, પરંતુ પર્વ બની રહે ”- રાજેશ ધામેલિયા
ઉધના વિસ્તારમાં
શિક્ષણ સાથે જીવન ઘડતરના પાઠ શીખવતી સંસ્થા એટલે લીઓ ક્લાસીસ. સંચાલક શ્રી
જયસુખભાઈ કથિરિયાના માર્ગદર્શન હેઠળ આજે ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે “પરીક્ષાલક્ષી
માર્ગદર્શન” અને “ગુજલિશ” સેમિનારનું
આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં
શ્રી રાજેશભાઈ ધામેલિયાએ જણાવ્યું હતું કે, “ પરીક્ષા એ આફત નહીં, પરંતુ અવસર છે. જો પરીક્ષાની પૂર્વતૈયારી પૂરી
પ્રામાણિકતાથી અને આયોજનપૂર્વક કરવામાં આવે તો પરીક્ષા પરેશાની નહીં, પરંતુ પર્વ સમાન આનંદદાયી પ્રસંગ બની જાય. હવે
પરીક્ષાની તૈયારી માટે તમારી પાસે 80 દિવસ છે. પરિણામની ચિંતા કર્યા વિના નિયમિત આનંદપૂર્વક મહેનત કરશો તો ચોક્ક્સ
ધાર્યું પરિણામ પ્રાપ્ત કરી તમારા માતાપિતાનું નામ રોશન કરી શકશો અને આર્થિક રીતે
પણ મોટો સહયોગ આપી શકશો.”
“ ગુજલિશ” અંગે
માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, “ ગુજરાતી અને અંગ્રેજીનો સાથે અભ્યાસ કરવાથી બન્ને
વિષયમાં ખૂબ રસ પડે છે અને શીખવામાં પણ સરળતા રહે છે. ભાષાના નિયમો શીખવામાં
ક્યાંય ગોખણપટ્ટી કરવાની જરૂર નથી, તમામ નિયમો વિવિધ ઉદાહરણો ગમ્મત સાથે શીખી શકાય છે. માત્ર
બે કલાકમાં હજારો શબ્દોની સાચી જોડણી શીખી શકીએ છીએ. મૂળ શબ્દને સમજીને તેના પરથી
ક્યા ક્યા શબ્દ બને છે તે શીખવામાં આવે તો
સ્પેલિંગ પાકા કરવામાં પણ સરળતા
રહે. શિક્ષણના મૂળમાં “વિચાર” છે. વિચાર
કરવાની ટેવ પડે તો શિક્ષણ આનંદમય બની રહે.
No comments:
Post a Comment