Wednesday 5 September 2018

સચિન વિભાગ કેળવણી મંડળ સંચાલિત એલ.ડી. હાઇસ્કૂલમાં “અસરકારક વર્ગવ્યવહાર” સેમિનાર યોજાયો.

સચિન વિભાગ કેળવણી મંડળ સંચાલિત એલ.ડી. હાઇસ્કૂલમાં “અસરકારક વર્ગવ્યવહાર”  સેમિનાર  બપોરે 2:30 થી 4:00 દરમિયાન યોજાયો. જે શાળામાં વિદ્યાર્થી તરીકે  અભ્યાસ કર્યો તે  શાળાના ટ્રસ્ટી બનીને શાળાના વિકાસ માટે પૂરેપૂરું યોગદાન આપનાર વડીલોઓ : શ્રી પરવેઝભાઈ સચિનવાલા,શ્રી દિનેશભાઈ પટેલ,શ્રી કિશોરભાઈ નાયક, શ્રી દિલીપભાઈ નાયક વગેરેને મળવાનો લહાવો પ્રાપ્ત થયો.  ઈ.સ. 1954માં 111 વિદ્યાર્થીઓથી શરૂ થયેલી શાળામાં આજે 4500 વિદ્યાર્થીઓ ખૂબ વાજબી ફી ભરીને શ્રેષ્ઠ શિક્ષણ મેળવી રહ્યાં છે.  
આ માટે શ્રી દિનકરભાઈ નાયકનો ખૂબ ખૂબ આભાર.

















No comments:

Post a Comment